હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું
હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી
SHARE
હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી
હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ મામાદેવના મંદિરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવેલ છે અને ત્યાં મંદિરમાંથી ચાંદીના નાના પંદર જેટલા છતરની ચોરી કરાઇ છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા તાલુકાના નાના દહીસરા ગામે થોડા સમય પહેલા માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ચોરની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન જુદા જુદા મંદિરોમાંથી ચોરી કરી હોવાની કબુલાત ચોર દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સતિષભાઈ નંદલાલભાઈ ગોહેલ (49)એ કિશન સુરેશભાઈ જાની રહે. બોની પાર્ક શેરી નં.7 રવાપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/5 ના રાત્રીના આઠથી બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ મામાદેવના ખુલ્લા મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં મામાદેવના મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના 15 જેટલા છતર જેનો 200 ગ્રામ જેટલો વજન થાય છે અને 40 હજાર રૂપિયાની કિંમત થાય છે તે ચાંદીના છતરની ચોરી કરી હતી જેથી હાલમાં આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.