મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી


SHARE











હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ મામાદેવના મંદિરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવેલ છે અને ત્યાં મંદિરમાંથી ચાંદીના નાના પંદર જેટલા છતરની ચોરી કરાઇ છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જો ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા તાલુકાના નાના દહીસરા ગામે થોડા સમય પહેલા માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ચોરની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન જુદા જુદા મંદિરોમાંથી ચોરી કરી હોવાની કબુલાત ચોર દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સતિષભાઈ નંદલાલભાઈ ગોહેલ (49)એ કિશન સુરેશભાઈ જાની રહે. બોની પાર્ક શેરી નં.7 રવાપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/5 ના રાત્રીના આઠથી બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ મામાદેવના ખુલ્લા મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં મામાદેવના મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના 15 જેટલા છતર જેનો 200 ગ્રામ જેટલો વજન થાય છે અને 40 હજાર રૂપિયાની કિંમત થાય છે તે ચાંદીના છતરની ચોરી કરી હતી જેથી હાલમાં આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News