મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે પી.જી.પટેલ કોલેજમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ રાજકોટની પ્રખ્યાત એવી સ્ટર્લીંગ હોસ્પીટલના ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો. સંકલ્પ વણજારા, દિવ્યમ હોસ્પીટલના કીડની નિષ્ણાંત અને બી.ટી. સવાણી કીડની હોસ્પીટલમાં માનદ સેવા આપતા ડો. દિવ્યેશ વિરોજા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંગદાન અંગે જન-જાગૃતિ આવે અને વિધાર્થીઓ અંગદાનનું મહત્વ સમજી શકે તેમજ અન્યોને પણ જાગૃત કરી શકે તે માટે ઉપરોક્ત બંને નિષ્ણાંતો દ્વારા ખાસ સેશન લેવામાં આવ્યું હતુ. અને અંગદાન કઈ રીતે થઇ શકે, એક વ્યક્તિનું અંગદાન કેટલા લોકોને નવજીવન આપી શકે, તે અંગેની તબીબી બાબતોની સચોટ અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પીડીજી ચંદ્રકાંત દફતરી, વિડીજી રમેશ રૂપાલા, પ્રમુખ રાજેશ સરડવા, તુષાર દફતરી તેમજ લાયન્સ કલબના ઘણા હોદેદારો અને પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમ દરમિયાન  પ્રોજેક્ટ ચેરમેન અને મોરબીના ઈએનટી સર્જન ડો. પ્રેયસ પંડ્યાએ વિશેષ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ કાર્યક્રમના અંતે તમામ લોકો એ અંગદાન અંગે જાગૃતિ ફેલાવા અને અંગદાનની મુહિમમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લીધો હતો.






Latest News