માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, એલઈ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન


SHARE













૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, એલઈ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન

મોરબીની એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા) દ્વારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (એસીપીડીસી) અમદાવાદ વતી આઇટીઆઇ કેમ્પસની બાજુમાં, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨ ખાતે તા.૨૦-૫-૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનાર અન્વયે કોલેજનાં નિષ્ણાંતો દ્વારા ડિપ્લોમાની જુદી જુદી શાખાઓની માહિતી આપવામાં આવનાર છે. વાલીઓને મુંજવતા પ્રશ્નો જેવા કે, ધોરણ ૧૦ પછી અને આઇટીઆઇ અભ્યાસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની ઓનલાઈન પ્રક્રીયા વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.જેથી ધોરણ ૧૦ નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને  કાર્યક્રમનો બહોળો લાભ લેવા માટે મોરબીની એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યએ અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News