મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે  સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે  સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઇ

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોમવારે સાંજે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી કાઢવામાં આવી હતી ત્યારે જુદાજુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો તેમાં જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ કરવામાં આવી હતી જે ગ્રીન ચોક અને દરબાર ગઢ થઈને સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ સુધી પહોચી હતી ત્યારે કેસરિયા ધ્વજથી મોરબીમાં કેસરીયો માહોલ ઊભો થયો હતો આ સનાતન સ્વાભિમાન યાત્રાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રમુખ તરીકે માનોજસિંહ જાડેજા (સાપર), મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા (વાઘારવા), શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ જાડેજા મહિદિપસિંહ (વીરપરડા), મોરબી શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જાડેજા જયદીપસિંહ સહિતના રાજપૂત સમાજના આગેવાનો, હોદેદારો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News