મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: બ્રિજરાજદાન ગઢવી-હકાભા ગઢવી કરશે જમાવટ


SHARE









મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: બ્રિજરાજદાન ગઢવી-હકાભા ગઢવી કરશે જમાવટ

મોરબીના સમસ્ત ચારણ સમાજ જોગ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી ચારણ સમાજ દ્વારા તા.૨૫-૬ ને રવિવારથી તા.૨૭-૬ મંગળવાર સુધી આઈશ્રી સોનલમાઁ મંદિર, ચારણ સમાજની વાડી, લીલાપર રોડ, ગૌશાળા સામે, મોરબી ખાતે સોનલમાઁ મંદિરનો ત્રીદીવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રી જીજ્ઞેશભાઇ પંડયાના આચાર્યપદે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા પ્રથમ દિવસે તા.૨૫ ને રવિવારે સાંજે ૫ કલાકે સોનલમાઁની મૂર્તિની નગરયાત્રા ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયાના નિવાસસ્થાનેથી ચારણ સમાજની વાડી સુધી નીકળનાર છે.જેથી આ રથયાત્રામાં આઈશ્રી સોનલમાઁના દર્શન માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે.તેમજ બીજા દિવસે તા.૨૬ ને સોમવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના ધુરંધર લોકસાહિત્યકાર એવા બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હકાભા ગઢવી, ચારણી ચરજોના કલાકાર જયદાન ગઢવી તથા મોરબીના જાણીતા લોકસાહિત્યકાર રાજુભાઈ આહિર દ્વારા ચારણી ચરજો, દુહાછંદ અને હાસ્યની છોળો સાથે ભવ્ય સંતવાણી  યોજવામાં આવશે.

જયારે ત્રીજા દિવસે તા.૨૭ ના આઈશ્રી સોનલમાઁ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણાહુતિ બાદ ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયા તરફથી મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.વધુ માહીતી માટે ભારૂભા બાવડા (મો.૯૭૨૬૧ ૮૭૧૩૮), સંજયભા નૈયા (મો.૯૭૨૭૪ ૦૧૦૧૦), મુકેશભા મારૂ (મો.૯૭૨૭૨ ૩૧૮૧૬), જનકભા જામંગ (મો.૮૨૦૦૯ ૨૫૫૯૬), હરદાસભા રતન (મો.૯૯૨૫૧ ૮૨૯૪૫), કરણભા રાજેયા (મો.૯૭૨૭૯ ૨૨૫૯૧), સંજયભા નાંદણ (મો.૭૮૭૪૧ ૩૧૨૪૨) અથવા જયેશભા જામંગ (મો.૭૬૯૮૮ ૬૦૧૬૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News