મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 


SHARE









મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 

મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલય મોરબીમાં શિક્ષિકા તરીકે સેવા આપતા જાડેજા નીમીશાબા દેવદીપસિંહ પોતાનો બે મહિનાનો પગાર અનાથ બાળકોની ફી માટે આપેલ છે. આ શાળામાં ૩૯  અનાથ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. ૩૯ માથી ૩ વિદ્યાર્થીઓની ફી ભરાયેલ છે. જે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થીઓએ સહાયરૂપ બનેલ છે. દેવદીપસિંહ ઝાલા મારુતિ ટુ વેલ્યૂમાં મેનેજર છે. અને શાળાના શિક્ષિકા નીમીશાબા તેમના ધર્મપત્ની છે. એવી જ રીતે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી હાલ સીએ ઉપાધ્યાય સાગર જે રૂબરૂ શાળાએ આવી અનાથ વિદ્યાર્થિની ફી ભરેલ છે. અને હજુ ફી ભરવાની જવાબદારી લીધેલ છે. અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલે આ બાળકોને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક જાહેર કરેલ છે. આ બાળકો સમાજમાંથી આવે છે. અને સમાજના લોકો પણ તેમાં સહભાગી બને તે માટે સેવાભાવી લોકો, સંસ્થાઓને જાહેર અપીલ કરવામાં આવેલ જેના ભાગરૂપે તેઓએ ફી ભરેલ છે. જેથી આ બાળકોને સંદેશ જાય કે સમાજના લોકો તેમની પડખે ઊભા છે. અને તેઓ સમાજનો હિસ્સો છે.






Latest News