દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 


SHARE













મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 

મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલય મોરબીમાં શિક્ષિકા તરીકે સેવા આપતા જાડેજા નીમીશાબા દેવદીપસિંહ પોતાનો બે મહિનાનો પગાર અનાથ બાળકોની ફી માટે આપેલ છે. આ શાળામાં ૩૯  અનાથ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. ૩૯ માથી ૩ વિદ્યાર્થીઓની ફી ભરાયેલ છે. જે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થીઓએ સહાયરૂપ બનેલ છે. દેવદીપસિંહ ઝાલા મારુતિ ટુ વેલ્યૂમાં મેનેજર છે. અને શાળાના શિક્ષિકા નીમીશાબા તેમના ધર્મપત્ની છે. એવી જ રીતે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી હાલ સીએ ઉપાધ્યાય સાગર જે રૂબરૂ શાળાએ આવી અનાથ વિદ્યાર્થિની ફી ભરેલ છે. અને હજુ ફી ભરવાની જવાબદારી લીધેલ છે. અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલે આ બાળકોને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક જાહેર કરેલ છે. આ બાળકો સમાજમાંથી આવે છે. અને સમાજના લોકો પણ તેમાં સહભાગી બને તે માટે સેવાભાવી લોકો, સંસ્થાઓને જાહેર અપીલ કરવામાં આવેલ જેના ભાગરૂપે તેઓએ ફી ભરેલ છે. જેથી આ બાળકોને સંદેશ જાય કે સમાજના લોકો તેમની પડખે ઊભા છે. અને તેઓ સમાજનો હિસ્સો છે.






Latest News