મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 


SHARE













મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા 

મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલય મોરબીમાં શિક્ષિકા તરીકે સેવા આપતા જાડેજા નીમીશાબા દેવદીપસિંહ પોતાનો બે મહિનાનો પગાર અનાથ બાળકોની ફી માટે આપેલ છે. આ શાળામાં ૩૯  અનાથ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. ૩૯ માથી ૩ વિદ્યાર્થીઓની ફી ભરાયેલ છે. જે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થીઓએ સહાયરૂપ બનેલ છે. દેવદીપસિંહ ઝાલા મારુતિ ટુ વેલ્યૂમાં મેનેજર છે. અને શાળાના શિક્ષિકા નીમીશાબા તેમના ધર્મપત્ની છે. એવી જ રીતે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી હાલ સીએ ઉપાધ્યાય સાગર જે રૂબરૂ શાળાએ આવી અનાથ વિદ્યાર્થિની ફી ભરેલ છે. અને હજુ ફી ભરવાની જવાબદારી લીધેલ છે. અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલે આ બાળકોને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક જાહેર કરેલ છે. આ બાળકો સમાજમાંથી આવે છે. અને સમાજના લોકો પણ તેમાં સહભાગી બને તે માટે સેવાભાવી લોકો, સંસ્થાઓને જાહેર અપીલ કરવામાં આવેલ જેના ભાગરૂપે તેઓએ ફી ભરેલ છે. જેથી આ બાળકોને સંદેશ જાય કે સમાજના લોકો તેમની પડખે ઊભા છે. અને તેઓ સમાજનો હિસ્સો છે.






Latest News