મોરબી જીલ્લામાં પતિએ મોબાઈલ-ઘરકામ બાબતે ઠપકો આપતા પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા
SHARE
મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા
મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલય મોરબીમાં શિક્ષિકા તરીકે સેવા આપતા જાડેજા નીમીશાબા દેવદીપસિંહ પોતાનો બે મહિનાનો પગાર અનાથ બાળકોની ફી માટે આપેલ છે. આ શાળામાં ૩૯ અનાથ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. ૩૯ માથી ૩ વિદ્યાર્થીઓની ફી ભરાયેલ છે. જે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થીઓએ સહાયરૂપ બનેલ છે. દેવદીપસિંહ ઝાલા મારુતિ ટુ વેલ્યૂમાં મેનેજર છે. અને શાળાના શિક્ષિકા નીમીશાબા તેમના ધર્મપત્ની છે. એવી જ રીતે શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી હાલ સીએ ઉપાધ્યાય સાગર જે રૂબરૂ શાળાએ આવી અનાથ વિદ્યાર્થિની ફી ભરેલ છે. અને હજુ ફી ભરવાની જવાબદારી લીધેલ છે. અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલે આ બાળકોને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક જાહેર કરેલ છે. આ બાળકો સમાજમાંથી આવે છે. અને સમાજના લોકો પણ તેમાં સહભાગી બને તે માટે સેવાભાવી લોકો, સંસ્થાઓને જાહેર અપીલ કરવામાં આવેલ જેના ભાગરૂપે તેઓએ ફી ભરેલ છે. જેથી આ બાળકોને સંદેશ જાય કે સમાજના લોકો તેમની પડખે ઊભા છે. અને તેઓ સમાજનો હિસ્સો છે.









