મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કપડાંના વેપારીને ૧૮થી ૩૦ ટકાના વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: ચાર સામે ફરિયાદ


SHARE













મોરબીમાં કપડાંના વેપારીને ૧૮થી ૩૦ ટકાના વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: ચાર સામે ફરિયાદ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં રેડિમેડ કાપડની દુકાન કરનારા વેપારીને તેની દુકાનમાં માલ ભરવો હતો જેથી કરીને તેને સમયાંતરે જુદાજુદા ચાર વ્યક્તિઓ પાસેથી ૧૮ થી લઈને ૩૦ ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની સામે તેને વ્યાજ તેમજ મુદલ પરત આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે તેની પાસેથી બેન્કના કોરા ચેક લેવામાં આવ્યા હતા અને ત્યારે બાદ તે યુવાનને તેના કાકાના દીકરાની દુકાને આવીને લાફા માર્યા હતા જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચાર વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઘુનડા(સજનપર)ના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રામસેતુ સોસાયટી અમરશીભાઇ કાસુન્દ્રા ના મકાનમાં ભાડેથી રહેતા યશભાઇ ભીમજીભાઇ રંગપરીયા જાતે પટેલ (૨૩)એ મયુરભાઇ બાબુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી, યશભાઇ રાજુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી, માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા રહે. રવાપર ગામ, વિશાલ ઉર્ફે વીડી ડાંગર રહે. રવપર ગામ અને કિશન કુભાંરવાડીયા રહે. રવાપર રોડ મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્મા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રવાપર રોડે રાજબેંક પાસે આરોપી મયુરભાઈ અને યશભાઈની ઓફીસે તથા રવાપર ચોકડી પાસે કોહીનુર કોમ્પલેક્ષ પાસે અને રવાપર ગામ બનાવ બનેલ છે જેમાં ફરિયાદીએ વર્ષ ૨૦૨૦ થી આજદીન સુધી આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હતા જેમાં આરોપી મયૂરભાઈએ ૫,૦૦,૦૦૦ માસીક ૩૦ ટકા લેખે, યશભાઈએ ૫,૦૦,૦૦૦ માસીક ૩૦ ટકા લેખે, માધવભાઈએ ૯,૦૦,૦૦૦ માસીક ૨૧ ટકા લેખે, વિશાલભાઈએ ૭,૦૦,૦૦૦ માસીક લેખે ૧૮ ટકા લેખે આપેલ હતા અને આરોપીઓને વ્યાજ તથા મુડી પરત આપી દીધેલ હોવા છતા પણ ચારેય આરોપીઓ દ્વારા ફરીયાદી પાસે આઇડીબીયાઈ બેંકના ફરીયાદીની સહી વાળા કોરા બે-બે ચેક બળજબરી પુર્વક લઈ લેવામાં આવેલ છે અને આરોપી વિશાલભાઈ તેમજ કિશને ફરીયાદીના કાકાના દીકરાની દુકાને જઇને ફરીયાદી પાસે રૂપીયાની ઉઘરાણી કરી હતી અને ફરીયાદીને ગાળો આપી એક થપ્પડ મારી હતી અને રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News