મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી
હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો
SHARE
હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો
હળવદ પોલીસ સ્ટેશનમાં ખાણ અને ખનીજ વિભાગ અને નીયમનના કાયદા મુજબના ગુનાની ફરીયાદના આધારે આરોપી રોહીત મનોજભાઈ દેગામાની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય જેથી આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે નામ.ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.
આ જામીન અરજીના કામે બન્ને પક્ષેથી કાયદાકીય દલીલો થયેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી ક્યાંય નાશી-ભાગી જાય તેમ નથી, તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષોની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ થયેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, એસ.ડી.મોઘીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.