ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી


SHARE













મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી

મોરબીના ભરતનગર ગામનો અને હાલ મોરબીના કેનાલ રોડ રામકો બંગલો નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહીને સિરામીકમાં કોન્ટ્રાકટ રાખતો પટેલ યુવાન છેલ્લા વીસેક દિવસથી ગુમ થઈ ગયો હોય તેના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ દ્રારા ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા તપાસ હાથ ધરવામાં આવેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા ઇશ્વરભાઇ બચુભાઈ ફેફર પટેલ (ઉમર ૫૫) નામના આધેડે એ ડિવિઝન પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર આનંદ ઈશ્વરભાઈ ફેફર પટેલ (ઉમર ૩૦) ધંધો વેપાર હાલ રહે.સાંકેત એપાર્ટમેન્ટ માધવ વૃંદાવન સોસાયટી રામકો બંગલો પાસે કેનાલ રોડ મોરબી મૂળ ભરતનગર વાળો ગત તા.૩૦-૭ ના સવારે આઠેક વાગ્યે રાબેતા મુજબ ઘરેથી કામે જાઉ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયેલ છે.દરમિયાનમાં તેની મુંબઈ ખાતેથી અને નાગપુર ખાતેથી એમ બે ટપાલો મળેલ છે જેમાં તેણે જણાવેલ છે કે તે "માનસિક રીતે થાકી ગયો હોવાના લીધે તે ઘર છોડીને ચાલ્યો ગયો છે." હાલ ગુમ થયેલ આનંદ ફેફરને શોધવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમ સુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે

ઇજાગ્રત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વીસીપરા મદીના સોસાયટી પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા જાનમામદભાઈ જામ નામના ૨૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા મોરબીની સામાકાંઠાની ખાનગી હોસ્પિટલે બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઈને માળિયા બાજુથી પરત મોરબી તરફ આવી રહેલા જાનમામદભાઇ જામ નામના બાઈક સવારને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત જાનમામદભાઈને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરૂને તે અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News