પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.


SHARE













મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.

મોરબી સીરામીક ઝોનમા ૮-એ નેશનલ હાઈવેથી સ્ટેટ હાઇવે પીપળી રોડ જવા માટેનો ખોખરા-બેલા રોડ છે ત્યા આશરે ૩૦૦ સીરામીકના કારખાના આવેલ છે તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને ઉદ્યોગકારો સહિતના લોકોને હેરાન થવું પડે છે જેથી તંત્ર ક્યારે આ રોડની સમસ્યા દુર કરશે તેવો સવાલ મોરબી સિરામિક એસો. દ્વારા સવાલ કરવામાં આવેલ છે

મોરબીનો ખોખરા-બેલા રોડ ઉપર માસ મોટા ખાડા છે જેથી કરીને અનેક ટ્રક ફસાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એક કંન્ટેનર પલ્ટી મારી ગયેલ છે અને આજે એક રીક્ષામાથી બેરલો પડી ગયા હતા આવી ઘટના રોજબરોજ બની રહી છે આ રોડ ઉપર ગેસ ભરેલા રોજના ૮૦ થી વધુ ટેન્કર પસાર થાય છે ત્યારે કોઈ ઘટના બને તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘોગકારો સહિતના લોકો મોટી તકલીફો વેઠવી રહ્યા છે તો પણ જવાબદાર અધિકારી કે પછી પદાધિકારીઑ દ્વારા કેમ ભંગાર રોડને રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને આ કાયમી સમસ્યા કયારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News