મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE













મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !

મોરબી નજીકના લીલાપર ગામે રહેતા યુવાને ૪૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત આપી દીધા હોવા છતાં પણ આરોપી દ્વારા ફરિયાદીના ઘરે જઈને પૈસાની ઉઘરાણી કરીને ગાળો બોલવામાં આવતી હતી અને આરોપીએ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરીના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઘુનડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તાર ખાતે રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (ઉમર ૪૫) એ હાલમાં પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી રહે.મચ્છોનગર રફાળેશ્વર તા.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે, પ્રફુલભાઈ પાસેથી રૂા.૪૦,૦૦૦ પાંચ ટકાના વ્યાજે લીધેલા હતા.જે રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીએ આપી દીધેલ છે તેમ છતાં પણ પ્રફુલભાઈએ ફરિયાદીના ઘરે રૂબરૂ જઈ પૈસાની ઉઘરાણી કરી હતી અને ગાળો બોલી હતી તેમજ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ તથા વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી માટે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બેટ વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલમાબેન ઇમરાનભાઈ જેડા જાતે મિંયાણા (ઉંમર ૩૦) નામની મહિલાને પાડોશી સાથે બોલાચાલી થઇ હતી અને તે દરમિયાનમાં તેણીના ઉપર હુમલો કરવામાં આવતા ઇજા પામેલ મહિલાને સિવિલ હોસ્પિટલ સારવા માટે લઈ જવામાં આવી હતી.મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે સલમાબેન ઇમરાનભાઈ જેડા નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલમાં લઈ જવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે સલમાબેનના પાછળના ભાગે રહેતો શખ્સ તેઓના ઘર પાસે બેસીને માથાકૂટ કરતો હોય તેને દૂર જવા માટે કહ્યું હતું જેથી કરીને તે શખ્સના પરિવારની મહિલા સભ્યો દ્વારા તેની સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં માથામાં બેટ મારવામાં આવતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે બનાવની અરજી ફરીયાદ નોંધીને આગળની તપાસ વી.ડી.મેતા ચલાવી રહ્યા છે.





Latest News