મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE













મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !

મોરબી નજીકના લીલાપર ગામે રહેતા યુવાને ૪૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત આપી દીધા હોવા છતાં પણ આરોપી દ્વારા ફરિયાદીના ઘરે જઈને પૈસાની ઉઘરાણી કરીને ગાળો બોલવામાં આવતી હતી અને આરોપીએ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરીના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઘુનડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તાર ખાતે રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (ઉમર ૪૫) એ હાલમાં પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી રહે.મચ્છોનગર રફાળેશ્વર તા.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે, પ્રફુલભાઈ પાસેથી રૂા.૪૦,૦૦૦ પાંચ ટકાના વ્યાજે લીધેલા હતા.જે રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીએ આપી દીધેલ છે તેમ છતાં પણ પ્રફુલભાઈએ ફરિયાદીના ઘરે રૂબરૂ જઈ પૈસાની ઉઘરાણી કરી હતી અને ગાળો બોલી હતી તેમજ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ તથા વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી માટે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બેટ વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલમાબેન ઇમરાનભાઈ જેડા જાતે મિંયાણા (ઉંમર ૩૦) નામની મહિલાને પાડોશી સાથે બોલાચાલી થઇ હતી અને તે દરમિયાનમાં તેણીના ઉપર હુમલો કરવામાં આવતા ઇજા પામેલ મહિલાને સિવિલ હોસ્પિટલ સારવા માટે લઈ જવામાં આવી હતી.મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે સલમાબેન ઇમરાનભાઈ જેડા નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલમાં લઈ જવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે સલમાબેનના પાછળના ભાગે રહેતો શખ્સ તેઓના ઘર પાસે બેસીને માથાકૂટ કરતો હોય તેને દૂર જવા માટે કહ્યું હતું જેથી કરીને તે શખ્સના પરિવારની મહિલા સભ્યો દ્વારા તેની સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં માથામાં બેટ મારવામાં આવતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે બનાવની અરજી ફરીયાદ નોંધીને આગળની તપાસ વી.ડી.મેતા ચલાવી રહ્યા છે.





Latest News