મોરબીના ખોખરા-બેલા ભંગાર રોડે અકસ્માત થાય તો જવાબદાર કોણ: સિરામિક એસો.
મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !
SHARE
મોરબીના લીલાપર ગામે રહેતા યુવાને વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !
મોરબી નજીકના લીલાપર ગામે રહેતા યુવાને ૪૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત આપી દીધા હોવા છતાં પણ આરોપી દ્વારા ફરિયાદીના ઘરે જઈને પૈસાની ઉઘરાણી કરીને ગાળો બોલવામાં આવતી હતી અને આરોપીએ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોરીના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઘુનડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તાર ખાતે રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ (ઉમર ૪૫) એ હાલમાં પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી રહે.મચ્છોનગર રફાળેશ્વર તા.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે, પ્રફુલભાઈ પાસેથી રૂા.૪૦,૦૦૦ પાંચ ટકાના વ્યાજે લીધેલા હતા.જે રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીએ આપી દીધેલ છે તેમ છતાં પણ પ્રફુલભાઈએ ફરિયાદીના ઘરે રૂબરૂ જઈ પૈસાની ઉઘરાણી કરી હતી અને ગાળો બોલી હતી તેમજ ફરિયાદીને ફોન કરીને બળજબરીથી મુદ્દલ તથા વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી માટે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બેટ વડે હુમલો









