મોરબીમાં ઘરેથી ચાલ્યા ગયેલા તરુણનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબીના રંગપર પાસે કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જવાથી બાળકનું મોત
SHARE
મોરબીના રંગપર પાસે કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જવાથી બાળકનું મોત
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં રોજગારી માટે આવતા પરિવારના બાળકો આવર નવાર અકસ્માતનો ભોગ બને છે તેવી જ રીતે હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જવાટી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે જેની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ ઈસ્ટોન સીરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મંછારામ ખેમારામ બારેલાનો ચાર વર્ષનો દીકરો વિશાળ કારખાનામાં માટીના ઢગલા ઉપર ચડતા માટીના ઢગલામાં દટાઈ જવાથી તેનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
કારમાં નુકશાન
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકની મંદિરની બાજુમાં વિજયનગરમાં રહેતા દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી જાતે પટેલ (૪૭) પોતાની એમ.જે. હેક્ટર કાર નંબર જીજે ૧ કેઝેડ ૫૨૫૬ લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૭ વીડબલ્યુ ૯૫૧૧ ના ચાલકે તેની કાર સાથે ટ્રક અથડાવીને કારમાં નુકસાની કરી હતી તેમજ અન્ય વાહનોને હડફેટે લઈને તેમાં પણ નાની મોટી નુકસાની કરી હતી જેથી કરીને હાલમાં કાર ચાલક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે