મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો


SHARE













મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો

મોરબી તાલુકાનાં રાજપર ગામે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જે કાર્યક્રમના સ્થળમાં વરસાદના લીધે ફેરફાર કરવામાં આવેલ છે અને હવે શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી “શાંત મનખુશહાલ જીવન વિષય પર વક્તવ્ય આપવાના છે જો કે, વરસાદને લઈને હાલમાં કાર્યક્રમનું સ્થળ બદલાવવામાં આવેલ છે અને હવે આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનોએ લાભ લેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે અને આ કાર્યક્રમ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે તેવું મોરબીના સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેને જણાવાયું છે.






Latest News