મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો
મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત
SHARE
મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત
માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો જે કેદીએ સબ જેલની બેરેકના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં પકડાયેલા કાચા કામના કેદી સોમનાથ ઉર્ફે શોભનાથ રામપ્રતાપ રાજપૂત (૨૨)ને મોરબીની સબ જેલમાં રાખવામા આવ્યો હતો દરમ્યાન તેને બેરેક નંબર ૧૦ ના બાથરૂમમાં તેનો રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેને મૃતહેદને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. વધુમાં જેલના સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો અને જેલમાં કેદીની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે એક કેદી ઓછો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાથરૂમમાંથી તેની આપઘાત કરેલ હાલતમાં લાશ મળી હતી જેથી આ ઘટનાની મૃતકના ભાઈને જાણ કરવામાં આવી હતી