મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો


SHARE













મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો

મોરબીની સિવિલ કોર્ટમાં મોરબીમાં રહેતી દીકરીએ તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા માટે રેગયુલર દિવાની દાવો કર્યો હતો જે વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી લક્ષ્મીબેન અમરશીભાઇ ડોસુભાઇ રહે. હદાણીની વાડી વાવડી રોડ મોરબી વાળાએ તેમના પિતા સ્વ.અમરશીભાઇ ડોસુભાઇ કંઝારીયા વિગેરે પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રેગયુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરી હતી અને મોરબી તાલુકાના માધાપર ગામની રેવન્યુ સર્વે નં.૩૦ પૈકી-૪ની ખેડવાણ જમીન વડીલો પાર્જીત હોય તેમાથી તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા મોરબીની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરેલ હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓના પુરાવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખી છે અને વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો હુકમ કરેલ છે આ કેસમાં મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News