મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીમાં આહીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આહીર સમાજ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ છે તેવી જ રીતે ૧૪મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી આહીર સમાજના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રભુદાસ બાપુ (સંત માતૃશ્રી રામભાઈની જગ્યા વવાણીયા) રહ્યા હતા. આ કાર્યક્રમના સહયોગીદાતા સ્વ.વાલાભાઈ નથુભાઈ ચબાડના સ્મરણાર્થે પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ તેમજ યોગેશભાઈ વાલાભાઈ ચબાડ હતા અને આર્થિક સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડિસ્ટ્રિક્ટ રૂલર ડેવલોપમેન્ટ ઓફિસર જયશ્રીબેન જરૂ, એડિશનલ કલેકટર આઇ.એસ.આહીર, આરએમસી રાજકોટ ઝોનના નિર્મળભાઈ ગોગરા, આસિસ્ટન્ટ કમિશનર ગુજરાત સ્ટેટ જીએસટી અમદાવાદના વિક્રમભાઈ ખુંગલા હિસાબી અધિકારી વર્ગ એક અમરેલી જિલ્લા પંચાયત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને સહિતના હાજર રહ્યા હતા આ તકે ૨૪૯ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે બે ક્લાસ- ૧ અને ૨ અધિકારીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ૯ નિવૃત્ત કર્મચારીઓના સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ રાણાભાઇ હુંબલ, પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગંજિયા, રાજેશભાઈ મંઢ, રમેશભાઈ છૈયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News