મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે કોલસાની ટ્રક ભરવાની માથાકૂટમાં થયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE













મોરબી જિલ્લાના નવલખી બંદરે કોલસાની ટ્રક ભરવાની માથાકૂટમાં થયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

મોરબી જિલ્લાના નવલખી બંદરે કોલસાની ગાડી ભરવા મામેલ માથાકૂટ થઈ હતી અને ત્યારે મોટા દહીસરા ગામના ક્ષત્રિય યુવાનને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે એક આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે જો કે, બે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ ગત તા.૨૨/૨/૨૧ ના રોજ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અને નવલખી બંદરે વાસુકી કોલ નામની કંપનીમાં લોડિંગ વિભાગમાં કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજાને ટ્રકમાં કોલસો ભરવા મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે બોલાચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના ક્હેવાથી ક્રેટા કારમાં આવેલા સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે,મોટા દહીસરા ગામ વાળાએ છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા જેથી કરીને દશરથસિંહ ભગવતસિંહ જાડેજાનું મોત નીપજયું હતું આ અંગે મૃતકના નાના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે તેમજ આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાને આજીવન કેદની સજા કરી છે અને બે લાખનો દંડ કરેલ છે અને આ દંડની રકમ મૃતકના વારસદારોને ગુજરાત વિકટીમ કમ્પૅઝીશેન સ્કીમ અન્વયે આપવા આદેશ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ ત્રણ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે






Latest News