ઝૂલતા પુલ દુર્ઘટના પાછળ કયાંકને કયાંક સરકાર સીધી જવાબદાર છે !: લોકોમાં થતી ચર્ચા
મોરબીમાં પુલ તૂટતાં એક જ પરિવારે દીકરીની સગાઈના આગળના દિવસે ગુમાવ્યા હતા આઠ સભ્યો
SHARE
મોરબીમાં પુલ તૂટતાં એક જ પરિવારે દીકરીની સગાઈના આગળના દિવસે ગુમાવ્યા હતા આઠ સભ્યો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની વર્ષ ૨૦૨૨ માં સગાઈ હતી જેથી તેના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (૩૧) તેના પત્ની માજોઠી રેશમાબેન (૨૭), દીકરો મેહનૂર (૮), દીકરી ફેજાન (૬) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (૪૫), બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (૨૦) અને હર્ષદ હુસેન માજોઠી (૫) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (૧૬) ના પુલના કાંટ માળ નીચે અને પુલ ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ પામ્યા હતા આમ એક જ કુટુંબના કુલ મળીને આઠ લોકોના મૃત્યુ નીપજતા જે ઘરની અંદર ૩૧/૧૦/૨૦૨૨ તારીખે દીકરીની સગાઈનો પ્રસંગ યોજવાનો હતો અને ખુશીનો માહોલ હતો ત્યાં પુલ તૂટવાના લીધે માતમ છવાઈ ગયો હતો અને એકી સાથે એક જે તે દિવસે ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા ભલભલાની આંખો ભીંજાઈ હતી.









