મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના જુના ઘ્ંટુ રોડે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણસર લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાનામાં રહેતા વિજેન્દ્રસિંહ નારાયણસિંહ (23) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે
ઝેરી દવા પીધી
મોરબીના નાગડાવાસ ગામે રહેતા ઠાકૂરભાઈ સાદુભાઈ અમલીયાર (21) નામના યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા અશોકભાઈ કેશવભાઈ પરમાર (60) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે