મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

માળીયા(મી) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે પરિવારને અડફેટે લેતા માતા-દિકરાનું મોતઃ યુવાન ગંભીર


SHARE







મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે માતાના મઢ જતા પદયાત્રીને વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં આજે માળીયા તાલુકામાં હરીપર ગામના પાટિયા પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ જતા પતિ, પત્ની અને તેના બાળકને વાહનચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જોકે યુવાન અને તેના બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ

મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં હરીપર ગામના પાટીયા પાસે શહેરનશાવલીની દરગાહ આવેલ છે ત્યા અકસ્માત થયો છે જેમા માતાના મઢ જતા પદયાત્રીઓને ટ્રક ચાલકે અડફેટે લેતા મહિલા અને તેના ઇજાગ્રસ્ત દિકરાનું મોત નિપજયુ છે સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ, પત્ની અને તેના બાળકને વાહનચાલકે અડફેટે લીધા હતા જેમા કૈલાસબેન હરપાલભાઇ ધામેચા ઉંમર વર્ષ ૩૩ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અને તેના પતિ ધામેચા હરપાલભાઇ અને તેના દીકરા ધાર્મિકને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જો કે, સારવાર દરમ્યાન ધાર્મિક (૪) નામના બાળકનું પણ મોત થયુ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે હાલમાં માળિયા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વઘુમાં પોલીસ સુત્રો પાસેોતઈ જાણવા મળેલી મહિતી મુજબ હરપાલભાઇ ધામેચા માળીયા તાલુકાના નવાગામ ધરમનગરના રહેવાસી છે અને તે તેના પરિવાર સાથે માતાના મઢ દર્શન કરવા માટે જતા હતા






Latest News