મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા આચારસંહિતાની ઐસીતૈસીઃ શુક્રવારે મોડી રાતે વાજતે ગાજતે પ્રચાર !, કોંગ્રેસે કરી ફરીયાદ


SHARE











મોરબી તાલુકા પંચાયતની ૨૬ -ત્રાજપર - ર બેઠકની ચુંટણી માટે કાલે મતદાન થવાનું છે તે પહેલા આજે જીલ્લા ભાજપ દ્વારા આંચાર સહિંતાનો ભંગ કરીને ગઇકાલે મોડી રાત સુધી વાજતે ગાજતે ચુંટણી પ્રચાર કરાયો હતો જેથી ભાજપના ઉમેદવારને ગેરલાયક ઠરાવવાની આચાર સંહિતા ભંગની મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા ચુંટણી અધિકારીને લેખિતમાં આચારસંહિચતા ભંગની રજુઆત કરવામાં આવી છે જેમા તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પંચાયત ૨૬ ત્રાજપર -૨ ની પેટા ચૂંટણીમાં તા ૧/૧૦ ના સાંજના પાંચ પછી રાત્રે ત્રાજપર -૨ માં આવતા માળીયા વનાળીયામાં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરણીયા તથા કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે જાહેર રેલી કરીને ભાજપના ખેસ સાથે પ્રચાર કરી ખુલ્લે આમ આચાર સંહિતા ભંગનું ઉલ્લંઘન કરેલું છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી, આચાર સહિતાના ઉલ્લંઘન બદલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કાલે મતદાનના દિવસે મતદાન મથક અંદર તથા મતદાન મથક બહાર નોન સ્ટોપ સવારે ૭ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી વિડિયો શુટીંગ કરવાની માંગ કરી છે






Latest News