મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા આચારસંહિતાની ઐસીતૈસીઃ શુક્રવારે મોડી રાતે વાજતે ગાજતે પ્રચાર !, કોંગ્રેસે કરી ફરીયાદ


SHARE







મોરબી તાલુકા પંચાયતની ૨૬ -ત્રાજપર - ર બેઠકની ચુંટણી માટે કાલે મતદાન થવાનું છે તે પહેલા આજે જીલ્લા ભાજપ દ્વારા આંચાર સહિંતાનો ભંગ કરીને ગઇકાલે મોડી રાત સુધી વાજતે ગાજતે ચુંટણી પ્રચાર કરાયો હતો જેથી ભાજપના ઉમેદવારને ગેરલાયક ઠરાવવાની આચાર સંહિતા ભંગની મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા ચુંટણી અધિકારીને લેખિતમાં આચારસંહિચતા ભંગની રજુઆત કરવામાં આવી છે જેમા તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પંચાયત ૨૬ ત્રાજપર -૨ ની પેટા ચૂંટણીમાં તા ૧/૧૦ ના સાંજના પાંચ પછી રાત્રે ત્રાજપર -૨ માં આવતા માળીયા વનાળીયામાં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરણીયા તથા કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે જાહેર રેલી કરીને ભાજપના ખેસ સાથે પ્રચાર કરી ખુલ્લે આમ આચાર સંહિતા ભંગનું ઉલ્લંઘન કરેલું છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી, આચાર સહિતાના ઉલ્લંઘન બદલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કાલે મતદાનના દિવસે મતદાન મથક અંદર તથા મતદાન મથક બહાર નોન સ્ટોપ સવારે ૭ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી વિડિયો શુટીંગ કરવાની માંગ કરી છે






Latest News