મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહનુ સાર્થક વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક ૬૫૦થી વધુ માર્કશિટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્ર્મમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન દવેએ હાજરી આપી હતી.મોરબીના સાર્થક વિદ્યાલય ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ૨૦૪ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા.બ્રહ્મ સમાજ સૌનું માર્ગદર્શન કરનારો સમાજ હોય તે ધ્યાને રાખી આચરણ કરવુ આપણી નૈતિક જવાબદારી બને છે.તેમ વક્તાઓએ જણાવ્યુ હતું

આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આ કાર્યક્રમમાં ઘણા નવતર પ્રયોગો કર્યા હતા જેમાં ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી અને સરસ્વતી સન્માન સમારોહ માટે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને વાલીઓઆ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લમહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારોશિક્ષણ સમિતિ તથા પ્રચાર પ્રસાર સમિતિના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News