Morbi Today
મોરબી જીલ્લામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન શરૂ
SHARE
મોરબી જીલ્લામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન શરૂ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન તા. ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી ચાલવાનું છે અને તે અંતર્ગત ઘરે ઘરે જઈને ભગવાન શ્રીરામનાં ફોટા, અક્ષત, નિમંત્રણ પત્રિકા પહોચાડવામાં આવશે ત્યારે મોરબી જીલ્લામાં આ અભિયાન શરૂ કરવામાં આવેલ છેઅને શનાળા રોડ પર તેના મુખ્ય કાર્યાલયની સ્થાપના સાથે મોરબી નગર દરવાજેથી આ અંતર્ગત જનજાગૃતિ માટે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ દરબાર ગઢ રામ મંદિર ખાતે ઉત્સાહ ઉમંગભેર પહોંચી ત્યાં રાસગરબા સાથે જય જય શ્રી રામનાં નારા બોલાવવામાં આવ્યા હતા.









