હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા ગામે કોઈ કારણોસર યુવાનનું મોત, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના થોરાળા ગામે કોઈ કારણોસર યુવાનનું મોત, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના થોરાળા ગામે સીમ વિસ્તારમાં આવેલ ફેબ્રિકેશનના કારખાનામાં મજૂરી કામ કરતો અને મૂળ બિહારનો યુવાન તેના લેબર કવાટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તેને પગલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા હાલ મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ નીતિન પાર્ક વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના થોરાળા ગામ પાસે આવેલ દેવકુંવર ફેબ નામના કારખાનામાં વેપાર કરતાં ચિરાગભાઈ પ્રવીણભાઈ દેત્રોજા જાતે પટેલ નામના ૨૭ વર્ષના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના શિવહર જિલ્લાના નગર પંચાયત વિસ્તારમાં રહેતા આશુકુમાર હરેશ્વરભાઈ તિવારી (ઉંમર ૩૬) નામના મજૂર યુવાનનો મૃતદેહ તેના લેબર કવાટરમાંથી મળી આવ્યો હતો.જેના લીધે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.હાલ કયા કારણોસર યુવાનનું મોત થયું છે..? તે બાબતે ખુલાસો થયો ન હોય અને આપઘાત છે કે કુદરતી મોત કે અન્ય કોઈ બાબત તે બાબતે આગળની તપાસ માટે મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટંકારા મારામારી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રામપર ગામે રહેતા રમેશભાઈ હમીરભાઇ ચૌહાણ નામના ૪૩ વર્ષના યુવાનને તેના ઘરે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો આ બાબતે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે બનાવની ટંકારા પોલીસ મથકે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા તેજસ ભીખાભાઈ ખીંટ (ઉમર ૨૪) નામના યુવાનને રફાળેશ્વર ગામ અને રફાળેશ્વર ચોકડી વચ્ચેથી બાઈક લઈને જતા સમયે તેના બાઇકને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News