મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું


SHARE













મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે સંત નિવાસના ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ વિભાગના મંત્રી કૈલાશ વિજય વર્ગીય હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે આ ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, ઈન્દોરના ધારાસભ્ય રમેશ મંદોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા આ તકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે, ખોખરા ધામની ભૂમિ એ ધર્મની ભૂમિ છે અને ધાર્મિક કાર્ય સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ ત્યાં કરવામાં આવી રહ્યા છે ત્યારે માનસિક રીતે વિકલાંગ પછી અનાથ સાધુઓને પણ ત્યાં રહેવા માટે સંત નિવાસ બનાવવામાં આવી રહ્યું છે તે અનેક સાધુ સંતો માટે આશીર્વાદ સમાન બની રહેશે આ તકે પત્રકારોએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને ઉજ્જૈનમાં બનેલી ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જે તોડવાની ઘટના બની હતી તેમાં આરોપીઓની સ્થાનિક પ્રશાસન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે






Latest News