મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત
SHARE
મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત
છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે તેવામાં મોરબીમાં આવેલ ઠાકર લોજ પરિવારના યુવાન દીકરો તેના મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે
કોરોના બાદ છેલ્લા ઘણા સમયથી નાની વયના લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતા જનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજવાળા નરેન્દ્રભાઈ ઠાકર અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના દીકરા હિમાંશુભાઈ નરેન્દ્રભાઇ ઠાકર (૩૯)ને હાર્ટ આવી જતાં તેનું મોત નીપજયું છે અને વધુમાં મળતી માહિતી મુજબ હિમાંશુભાઈ તેના મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા તેવામાં તેને ફેટલ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં મોત નીપજયું હતું જેથી કરીને ઠાકર લોજ પરિવાર, બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે
હાલમાં હિમાંશુભાઈ ઠાકરના મૃતદેહને મોરબી લઈને આવી રહ્યા છે અને બપોરે ત્રણ વાગ્યે તેની સ્મશાનયાત્રા મોરબીના જેલ રોડે આવેલ ઠાકર લોજ તેઓના નિવાસ સ્થાનેથી નીકળશે અને વિદ્યુત સ્મશાન ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવશે વધુમાં હિમાંશુભાઈ ઠાકરના પરિવારજન પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઈ ઠાકર અને હંસાબેન ઠાકરને બે દીકરા અને એક દીકરી આમ કુલ ત્રણ સંતાન છે જેમાં હિમાંશુભાઈ તેનો નાનો દીકરો હતો અને તેની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા અને ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે