મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત


SHARE









મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ધી રહ્યા છે તેવામાં મોરબીમાં આવેલ ઠાકર લોજ પરિવારના યુવાન દીકરો તેના મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે

કોરોના બાદ છેલ્લા ઘણા સમયથી નાની વયના લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતા જનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજવાળા નરેન્દ્રભાઈ ઠાકર અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના દીકરા હિમાંશુભાઈ નરેન્દ્રભાઇ ઠાકર (૩૯)ને હાર્ટ આવી જતાં તેનું મોત નીપજયું છે અને વધુમાં મળતી માહિતી મુજબ હિમાંશુભાઈ તેના  મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા તેવામાં તેને ફેટલ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં મોત નીપજયું હતું જેથી કરીને ઠાકર લોજ પરિવાર, બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે

હાલમાં હિમાંશુભાઈ ઠાકરના મૃતદેહને મોરબી લઈને આવી રહ્યા છે અને બપોરે ત્રણ વાગ્યે તેની સ્મશાનયાત્રા મોરબીના જેલ રોડે આવેલ ઠાકર લોજ તેઓના નિવાસ સ્થાનેથી નીકળશે અને વિદ્યુત સ્મશાન ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવશે વધુમાં હિમાંશુભાઈ ઠાકરના પરિવારજન પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઈ ઠાકર અને હંસાબેન ઠાકરને બે દીકરા અને એક દીકરી આમ કુલ ત્રણ સંતાન છે જેમાં હિમાંશુભાઈ તેનો નાનો દીકરો હતો અને તેની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા અને ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે






Latest News