મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા યોજાનાર ૧૦૧ સર્વ હિન્દુ જ્ઞાતીય સમુહ લગ્નમાં જોડાવા અપીલ
SHARE
મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા યોજાનાર ૧૦૧ સર્વ હિન્દુ જ્ઞાતીય સમુહ લગ્નમાં જોડાવા અપીલ
સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા ૧૦૧ દીકરીઓનો સર્વ હિન્દૂ જ્ઞાતિનો ત્રીજો જાજરમાન સામુહીક લગ્નોત્સવ યોજાનાર છે તેમાં જોડાવા માચે તા.૯ મી ફેબ્રુઆરીથી ૩૧ મી માર્ચ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.
ચોટીલા અને રાજકોટના સોખડામાં ભવ્ય સફળતાં બાદ હવે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે ૧૦૧ દીકરીઓનો ત્રીજો જાજરમાન સમૂહિક લગ્નોત્સવ આગામી સંવત ૨૦૮૦ વૈશાખ સુદ-૫ તા.૧૨ મે ૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે સર્વ હિન્દૂ જ્ઞાતિની દીકરીઓ માટે યોજાનાર છે. આ ત્રીજા લગ્નોત્સવનું આયોજન કરીને તેમા કરિયાવરમાં દીકરીઓને ૧૦૧ થી વધારે કરિયારની વસ્તુઓ આપવામાં આવશે.જે બાબતે હાલ આયોજક મંડળ દ્વારા જણાવાયું છે કે, જે દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતી હોય તેઓના પરીવારજનો દ્રારા ૯ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધીમાં ફોર્મ ભરી જવા.
વધુ માહિતી માટે બપોરે ૨ થી સાંજે ૭ કલાક સુધી મહાકાળી સપ્લાયર, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે જયેશભાઇ સોમાણી (મો.નં.૯૧૭૩૦ ૦૯૯૬૮), જગદીશભાઈ બાંભણિયા (મો.નં.૯૧૦૬૫ ૧૮૧૮૯), ચિરાગભાઈ સેતા (મો.નં.૯૭૩૭૨ ૨૪૨૩૧) અથવા દેવેનભાઈ (મો.નં.૯૦૩૩૬ ૫૫૫૧૦) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.