માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા યોજાનાર ૧૦૧ સર્વ હિન્દુ જ્ઞાતીય સમુહ લગ્નમાં જોડાવા અપીલ


SHARE













મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા યોજાનાર ૧૦૧ સર્વ હિન્દુ જ્ઞાતીય સમુહ લગ્નમાં જોડાવા અપીલ

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા ૧૦૧ દીકરીઓનો સર્વ હિન્દૂ જ્ઞાતિનો ત્રીજો જાજરમાન સામુહીક લગ્નોત્સવ યોજાનાર છે તેમાં જોડાવા માચે તા.૯ મી ફેબ્રુઆરીથી ૩૧ મી માર્ચ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.

ચોટીલા અને રાજકોટના સોખડામાં ભવ્ય સફળતાં બાદ હવે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે ૧૦૧ દીકરીઓનો ત્રીજો જાજરમાન સમૂહિક લગ્નોત્સવ આગામી સંવત ૨૦૮૦ વૈશાખ સુદ-૫ તા.૧૨ મે ૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે સર્વ હિન્દૂ જ્ઞાતિની દીકરીઓ માટે યોજાનાર છે. આ ત્રીજા લગ્નોત્સવનું આયોજન કરીને તેમા કરિયાવરમાં દીકરીઓને ૧૦૧ થી વધારે કરિયારની વસ્તુઓ આપવામાં આવશે.જે બાબતે હાલ આયોજક મંડળ દ્વારા જણાવાયું છે કે, જે દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતી હોય તેઓના પરીવારજનો દ્રારા ૯ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધીમાં ફોર્મ ભરી જવા.

વધુ માહિતી માટે બપોરે ૨ થી સાંજે ૭ કલાક સુધી મહાકાળી સપ્લાયર, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે જયેશભાઇ સોમાણી (મો.નં.૯૧૭૩૦ ૦૯૯૬૮), જગદીશભાઈ બાંભણિયા (મો.નં.૯૧૦૬૫ ૧૮૧૮૯), ચિરાગભાઈ સેતા (મો.નં.૯૭૩૭૨ ૨૪૨૩૧) અથવા દેવેનભાઈ (મો.નં.૯૦૩૩૬ ૫૫૫૧૦) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News