મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી


SHARE













મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી, ફરિયાદ નોંધાઇ

મોરબી નગર પાલિકાના ગ્રાઉન્ડમાં સામાન્ય બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં મારામારી સુધી વાત પહોંચી જતા ઈજાગ્રસ્ત દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં રામજીભાઈ જેઠાભાઈ ચાવડા (૪૧) રહે.માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળાએ અરવિંદ રામજીભાઇ પરમાર રહે.માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં હતા ત્યારે ત્યાં સરકારી પડતર જમીનની ફાળવણી બાબતે થયેલી વાતચીતમાં ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સામેવાળા અરવિંદ પરમાર દ્વારા તેઓને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો અને આ બાબતે તેઓએ નોંધાવેલી ફરિયાદ આધારે હાલ એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નટુભાઈ રણછોડભાઈ નામના 45 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા તથા સારવાર માટે મોરબીના સામા કાંઠે આવેલી શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બાબતે વધુમાં બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કડીયાણા ગામે આવેલા તળાવ નજીકથી તેઓ બાઇક લઈને જતા હતા ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવવામાં તેઓને બીજા તથા સારવારમાં લવાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દયાબેન ધીરૂભાઈ બાવાજીને તા.૪-૨ ના રોજ સાંજે આઠેક વાગ્યાના અરસામાં પતિ દ્વારા કોઈ બાબતે ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો.જેથી કરીને પાડોશમાં રહેતા હાજીભાઈ દ્વારા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

યુવાન ઈજાગ્રસ્ત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અશ્વિનભાઈ ચનાભાઈ મકવાણા દેવીપુજક નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની રાહેતા મુજબની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News