મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો


SHARE









મોરબી પત્રકાર એસો.કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો

મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કેઆજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી મોરબી પત્રકાર એસો. દ્વારા રેલવેના આધિકારીઓને તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેના આધારે સાંસદ દ્વારા હાલમાં રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી શહેરના મુસાફરોને લાંબા અંતરની ટ્રેન માટે અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્રની કોપી સાંસદ મોહનભાઈ કુંડારીયાને પણ આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને હાલમાં સંસદ મોહનભાઈ કુંડારિયાએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પત્રકાર એસોસિએશ દ્વારા મોરબીથી ટ્રેન માટે તેમજ વાંકાનેરમાં જુદીજુદી ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરવામાં આવી છે જેને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે તો મોરબી અને વાકાનેરના રહેવાસીઓ અને મુસાફરોને ઘણો ફાયદો થશે






Latest News