હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત


SHARE







હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત

હળવદમાં ખારી વાડી વાળા રસ્તા ઉપર ખેતરમાં ઠૂઠવાઈ જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના સગા દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુર ગામના રહેવાસી સુરેશભાઈ શંકરભાઈ ભીલ જાતિ આદિવાસી (૫૦) નામના આધેડ હળવદમાં ખારીવાડી વાળા રસ્તા ઉપર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ અટુકભાઇ કાંકરેચાના હવાલા વાળા ખેતરમાં ઠંડીના કારણે ઠૂઠવાઈ ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને શૈલેષભાઈ બાબુભાઈ ભીલ જાતે આદિવાસી (૩૭) રહે. હાલ રંગપર ગામે ઇવાનો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં જેતપર રોડ મોરબી મૂળ રહે. છોટા ઉદેપુર વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ઓમ રેસીડેન્સી ખાતે રહેતા માધુરીબેન અજયભાઈ (૪૯) નામના મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ શેરીમાં પાળેલા કૂતરાને માર મારવાની ઘટના પછી આ બનાવ બનેલ હતો તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News