મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ


SHARE













મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ

મોરબીના રવાપર નદી ગામે ખેતીની બ્રાહ્મણ પરિવારની જમીન આવેલ છે તે જમીન  ખેડી નાખી એક શખ્સ દ્વારા ઘાસચારો સાફ કરી નાખવામાં આવેલ છે જેથી કરીને ખેતીની જમીનમાં નુકશાન કર્યાની ભોગ બનેલા પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા અને ખેતી કરતાં ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની રવાપર નદી ગામે માલિકીની ખેતીની જમીન આવેલ છે તેમાં ઉગેલ ઘાસચારો અને લાકડા લઈ જઈ આરોપી દેવજીભાઈ ગોવાભાઈ રબારી રહે. રવાપર નદી વાળાએ ખેતર ખેડી નાખીને નુકશાન કર્યું છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખેલશંકરભાઈએ ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપર શેરી નં-૧૧ માં રહેતા પ્રફુલાબેન મનોજભાઈ ભટ્ટી (૫૦) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના વાવડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઈ નાનજીભાઈ નામના વ્યક્તિ બાઈક લઈને મોરબીમાં સામાકાંઠે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં ઈજા થવાથી સંજયભાઈને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે. 






Latest News