મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ


SHARE







મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ

મોરબીના રવાપર નદી ગામે ખેતીની બ્રાહ્મણ પરિવારની જમીન આવેલ છે તે જમીન  ખેડી નાખી એક શખ્સ દ્વારા ઘાસચારો સાફ કરી નાખવામાં આવેલ છે જેથી કરીને ખેતીની જમીનમાં નુકશાન કર્યાની ભોગ બનેલા પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા અને ખેતી કરતાં ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની રવાપર નદી ગામે માલિકીની ખેતીની જમીન આવેલ છે તેમાં ઉગેલ ઘાસચારો અને લાકડા લઈ જઈ આરોપી દેવજીભાઈ ગોવાભાઈ રબારી રહે. રવાપર નદી વાળાએ ખેતર ખેડી નાખીને નુકશાન કર્યું છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખેલશંકરભાઈએ ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપર શેરી નં-૧૧ માં રહેતા પ્રફુલાબેન મનોજભાઈ ભટ્ટી (૫૦) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના વાવડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઈ નાનજીભાઈ નામના વ્યક્તિ બાઈક લઈને મોરબીમાં સામાકાંઠે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં ઈજા થવાથી સંજયભાઈને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે. 




Latest News