મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ મોત: કુલ બે મોત થયા


SHARE













મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ મોત: કુલ બે મોત થયા

મોરબી તાલુકાના માનસર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા પરિવારની મહિલા અને બાળકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી તલ ભરેલી કોથળી મળી આવી હતી જે કોથળી ઘરે લાવીને તેમાંથી મહિલા અને બાળકોએ તલ ખાધા હતા જેથી કરીને ઝેરી અસર થતા ઉલટીઓ થવા લાગી હતી અને એક બાળકનું પહેલા મોત નિપજ્યુ હતું જો કે, મૃતક બાળકની માતા અને અન્ય એક બાળક સારવાર હેઠળ હતા જેમાંથી અગાઉ મૃત્યુ પામેલ બાળકની માતાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિના મોત થયેલ છે જેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગ પ્રમાણે મોરબી તાલુકાના માનસર ગામે રહેતાને ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ ભાંભરના પત્ની સંગીતાબેન (૨૪) અને દીકરા કુલદીપ (૭) તેમજ મોનીત હિમેશભાઈ ઠાકરે (૮) એ તા. ૯/૩ ના રાતે ૮:૩૦ તલ ખાધા બાદ ઝેરી અસર થઈ હોવાથી તે તમામને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. દરમિયાન કુલદીપ મહેશભાઈ ભાંભર (૭) નામના બાળકનું પહેલા મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ તા ૯/૩ ના રોજ સંગીતાબેન અને બાળક સહિતનાઓની સામે વાડીએથી પાછા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળા કલરનું ઝબલુ મળી આવ્યુ હતુ જેમાં સફેદ તલ ભરેલા હતા અને તે તલ સંગીતાબેન તેના દીકરા કુલદીપ અને મોનિત સહિતના પાંચેક વ્યક્તિઓએ ખાધા હતા જોકે બે વ્યક્તિઓને તલ તુરા લાગતા તેણે થુંકી નાખ્યા હોવાથી તેને ઝેરી અસર થઈ ન હતી જોકે સંગીતાબેન, કુલદીપ અને મોનિતે તલ ખાધા હતા અને તે તલ વાવણી કરવા માટેના દવાવાળા તલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું આ ઘટનામાં પહેલા કુલદીપ નામના બાળકનું મોત નીપજયું હતું જો કે, તા ૧૧/૩ ના રોજ સાંજે આઠ વાગ્યે સારવાર દરમ્યાન સંગીતાબેન મહેશભાઈ ભાંભર (૨૪)નું પણ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવમાં માતા-પુત્રનું મોત નોંધાયેલ છે






Latest News