મોરબીના ઝૂલતા પુલ કેસમાં વિશેષ તપાસ માટે કરાયેલ અરજીમાં સુધારો કરવા થયેલ અરજી કોર્ટમાં ના મંજુર
વાંકાનેરના ધમલપરની ઘટના :પત્નીએ ઠપકો આપતા એસીડ પી જનાર વિજય માનસુરીયાનું સારવારમાં મોત
SHARE









વાંકાનેરના ધમલપરની ઘટના :પત્નીએ ઠપકો આપતા એસીડ પી જનાર વિજય માનસુરીયાનું સારવારમાં મોત
મૃતક વધુ પડતી ઉંઘની દવા પીતો હોય, પત્નીએ ના પાડતા ઝઘડો થયેલો, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
વાંકાનેરના ધમલપર-2 ગામે રહેતા વિજય દાનજી માનસુરીયા (ઉ.વ.35)એ તા.27/2ના રોજ એસીડની પી લીધું હતું.તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.અહી સારવારમાં તેમણે દમ તોડી દીધો હતો.બનાવની વિગત મુજબ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વિજયને ઉંઘની ગોળીઓ લેવાની આદત થઈ ગઈ હતી.તેમની પત્નીએ વધુ પડતી ઉંઘની દવા લેવાની ના પાડતા બંન્ને વચ્ચે ઝઘડો થયેલો જે પછી વિજયે પોતાના ઘરે જ એસીડ પી લીધુ હતું. 13 દિવસ લાંબી સારવાર બાદ ગઈકાલે વિજયે દમ તોડી દીધો હતો. વિજય મજુરી કામ કરતો તેને સંતાનમાં બે દીકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોક છવાયો હતો.

