શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

પાકિસ્તાનમાં સ્થાનિક ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય ?: કાંતિભાઈ અમૃતિયા


SHARE





પાકિસ્તાનમાં સ્થાનિક ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય ?: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં પાકિસ્તાનમાં બધુ જ છોડીને ભારતમાં આવેલ પરિવારના લોકો સાથે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ધારાસભ્યએ તેઓના મો મીઠા કરાવીને તેઓને ભારતના નાગરિક બનવા માટેનો જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તેના માટેની શુભકામનાઓ આપી હતી અને ધારાસભ્યએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનમાં ત્યાના ધારાસભ્ય જ સલામત ન હોય તો પછી સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લામાં અને ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં રહેતા પાકિસ્તાનમાંથી આવેલા પરિવારના લોકોને હવે ભારતનું નાગરિકત્વ મળશે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે જેથી કરીને મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાનથી બધુ જ છોડીને ભારતમાં આવેલા પરિવારના લોકો હાજર રહ્યા હતા અને તેઓના મો મીઠા કરાવીને તેઓને ભારતના નાગરિક બનવા માટેનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો તેના માટેની શુભકામના આપવામાં આવી હતી અને ત્યારે પાકિસ્તાનથી મોરબી જીલ્લામાં આવેલા લોકોએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ત્યાના ધારાસભ્ય જો સલામત ન હોય તો પછી સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય તે સૌથી મોટો સવાલ છે જો કે, દેશના વડાપ્રધાન દેશના પ્રત્યેક નાગરિક અને બીજા દેશમાં જે લોકો લઘુમતિમાં છે તેની ચિંતા કરીને સીએએ નો કાયદો લઈને આવ્યા છે જેનો લાભ ત્રણ દેશમાંથી આવતા લોકોને ભવિષ્યમાં પણ મળશે અત્રે ઉલેખનીય છે કે, પાકિસ્તાનમાં ધંધા, રોજગાર, ધર્મ કે પછી તેઓની બહેન દીકરીઓની સલામતી ન હતી જેથી તે લોકોને તેમની જન્મભૂમી છોડીને મોરબી કે પછી ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં આવીને રહે છે અને ત્યાં તેઓને સલામતી, શાંતિનો અહેસાસ થાય છે અને અહી સુખ અને શાંતિથી કોઇપણ પ્રકારના ભય વગર ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે




Latest News