મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

પાકિસ્તાનમાં સ્થાનિક ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય ?: કાંતિભાઈ અમૃતિયા


SHARE

















પાકિસ્તાનમાં સ્થાનિક ધારાસભ્ય જ સલામત ન હોય તો સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય ?: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં પાકિસ્તાનમાં બધુ જ છોડીને ભારતમાં આવેલ પરિવારના લોકો સાથે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ધારાસભ્યએ તેઓના મો મીઠા કરાવીને તેઓને ભારતના નાગરિક બનવા માટેનો જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તેના માટેની શુભકામનાઓ આપી હતી અને ધારાસભ્યએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનમાં ત્યાના ધારાસભ્ય જ સલામત ન હોય તો પછી સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લામાં અને ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં રહેતા પાકિસ્તાનમાંથી આવેલા પરિવારના લોકોને હવે ભારતનું નાગરિકત્વ મળશે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે જેથી કરીને મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાનથી બધુ જ છોડીને ભારતમાં આવેલા પરિવારના લોકો હાજર રહ્યા હતા અને તેઓના મો મીઠા કરાવીને તેઓને ભારતના નાગરિક બનવા માટેનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો તેના માટેની શુભકામના આપવામાં આવી હતી અને ત્યારે પાકિસ્તાનથી મોરબી જીલ્લામાં આવેલા લોકોએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ત્યાના ધારાસભ્ય જો સલામત ન હોય તો પછી સામાન્ય નાગરિક કેવી રીતે સલામત હોય તે સૌથી મોટો સવાલ છે જો કે, દેશના વડાપ્રધાન દેશના પ્રત્યેક નાગરિક અને બીજા દેશમાં જે લોકો લઘુમતિમાં છે તેની ચિંતા કરીને સીએએ નો કાયદો લઈને આવ્યા છે જેનો લાભ ત્રણ દેશમાંથી આવતા લોકોને ભવિષ્યમાં પણ મળશે અત્રે ઉલેખનીય છે કે, પાકિસ્તાનમાં ધંધા, રોજગાર, ધર્મ કે પછી તેઓની બહેન દીકરીઓની સલામતી ન હતી જેથી તે લોકોને તેમની જન્મભૂમી છોડીને મોરબી કે પછી ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં આવીને રહે છે અને ત્યાં તેઓને સલામતી, શાંતિનો અહેસાસ થાય છે અને અહી સુખ અને શાંતિથી કોઇપણ પ્રકારના ભય વગર ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે






Latest News