મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રાત્રિ દરમિયાન એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તોડીને તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આ બાબત મીડિયા દ્વારા ઉજાગર થયાને ૨૪ કલાક થવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે ચોરી અંગેની કોઇ પોસીસ ફરિયાદ નોંધાવા પામેલ નથી..!

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડી પાસે જેતપર રોડ જવાના રસ્તા પાસેના શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રાત્રિ દરમિયાન ધામાં નાખીને એકી સાથે ૧૫ જેટલી દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા અને નાની-મોટી રકમની ચોરી કરવામાં આવી હતી.આ સમગ્ર બનાવો બાબતે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાને ૨૪ કલાક જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી..! અત્રે નોંધનીય છે કે આ ચોરીની ઘટના જે જગ્યાએ બની તે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૩૦૦ મીટર જેટલા અંતરે જ બનાવ બનેલ છે આના ઉપરથી પોલીસના નાઈટ પેટ્રોલીંગ કઈ રીતે ચાલતા હશે તે બાબત ઉજાગર કરવાની રહેતી નથી.અત્રેએ પણ નોંધનીય છે કે મોરબી જિલ્લાની અંદર મોટા ભાગે ચોરીની ઘટનાઓ કે જેમાં બાઈક ચોરી હોય કે ઘરફોડ ચોરી હોય, દુકાન ચોરી હોય, ખેતર કે સીમ ચોરી હોય તેમાં મોટાભાગે બનાવને "બર્કિંગ" કરવામાં આવતા હોય છે અને મોટાભાગે ફરિયાદ નોંધવામાં આવતી નથી (શું આ રીતે ક્રાઈમ રેટ ઘટે..? કે તસ્કરોને પકડવાથી ક્રાઇમ રેટ ઘટે..?) તે નરી વાસ્તવિકતા છે અને જેના પગલે સમયાંતરે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે તસ્કરોને અહીં મોરબીમાં મોકળુ મેદાન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News