જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રાત્રિ દરમિયાન એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તોડીને તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આ બાબત મીડિયા દ્વારા ઉજાગર થયાને ૨૪ કલાક થવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે ચોરી અંગેની કોઇ પોસીસ ફરિયાદ નોંધાવા પામેલ નથી..!

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડી પાસે જેતપર રોડ જવાના રસ્તા પાસેના શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રાત્રિ દરમિયાન ધામાં નાખીને એકી સાથે ૧૫ જેટલી દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા અને નાની-મોટી રકમની ચોરી કરવામાં આવી હતી.આ સમગ્ર બનાવો બાબતે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાને ૨૪ કલાક જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી..! અત્રે નોંધનીય છે કે આ ચોરીની ઘટના જે જગ્યાએ બની તે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૩૦૦ મીટર જેટલા અંતરે જ બનાવ બનેલ છે આના ઉપરથી પોલીસના નાઈટ પેટ્રોલીંગ કઈ રીતે ચાલતા હશે તે બાબત ઉજાગર કરવાની રહેતી નથી.અત્રેએ પણ નોંધનીય છે કે મોરબી જિલ્લાની અંદર મોટા ભાગે ચોરીની ઘટનાઓ કે જેમાં બાઈક ચોરી હોય કે ઘરફોડ ચોરી હોય, દુકાન ચોરી હોય, ખેતર કે સીમ ચોરી હોય તેમાં મોટાભાગે બનાવને "બર્કિંગ" કરવામાં આવતા હોય છે અને મોટાભાગે ફરિયાદ નોંધવામાં આવતી નથી (શું આ રીતે ક્રાઈમ રેટ ઘટે..? કે તસ્કરોને પકડવાથી ક્રાઇમ રેટ ઘટે..?) તે નરી વાસ્તવિકતા છે અને જેના પગલે સમયાંતરે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે તસ્કરોને અહીં મોરબીમાં મોકળુ મેદાન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News