હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી શક્તિ ધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં શ્રી શક્તિ ધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ માધાપર ઓજી વિસ્તારમાં શ્રી શક્તિ ધામ મંદિર આવેલ છે ત્યાં સોમવારથી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ જાણીતા કલાકાર દેવાયત ખાવડ સહિતના કલાકારોના લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શ્રી શક્તિધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૨૯ ને સોમવારથી જુદાજુદા કાર્યક્રમો યોજાવાના છે જેમાં સંતો મહંતો સહિતના હાજર રહેશે અને તા. ૨૯ ને સોમવારે સવારે શોભાયાત્રા નીકળશે અને ત્યાર બાદ રાસ ગરબા રાતે યોજાશે અને તા. ૩૦ ને મંગળવારે લોકડાયરો યોજાશે જેમાં કલાકાર દેવાયત ખાવડ, ધનરાજ ગઢવી, દલસુખ પ્રજાપતિ સહિતના કલાકારો જમાવટ કરશે ત્યાર બાદ તા.૧/૫ ને બુધવારે સવારે ૧૦ કલાકે સંતોના સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ યોજાશે આ ધાર્મિક કાર્યમાં યજ્ઞના આચાર્ય પદે અનીલપ્રસાદ એલ. રાવલ ધાર્મિકવિધી કરાવશે આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેવું સંસ્થાના પ્રમુખ વસંતભાઈ પરમાર અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ કંઝારીયાએ જણાવ્યું છે






Latest News