મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી શક્તિ ધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE









મોરબીમાં શ્રી શક્તિ ધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ માધાપર ઓજી વિસ્તારમાં શ્રી શક્તિ ધામ મંદિર આવેલ છે ત્યાં સોમવારથી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ જાણીતા કલાકાર દેવાયત ખાવડ સહિતના કલાકારોના લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શ્રી શક્તિધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૨૯ ને સોમવારથી જુદાજુદા કાર્યક્રમો યોજાવાના છે જેમાં સંતો મહંતો સહિતના હાજર રહેશે અને તા. ૨૯ ને સોમવારે સવારે શોભાયાત્રા નીકળશે અને ત્યાર બાદ રાસ ગરબા રાતે યોજાશે અને તા. ૩૦ ને મંગળવારે લોકડાયરો યોજાશે જેમાં કલાકાર દેવાયત ખાવડ, ધનરાજ ગઢવી, દલસુખ પ્રજાપતિ સહિતના કલાકારો જમાવટ કરશે ત્યાર બાદ તા.૧/૫ ને બુધવારે સવારે ૧૦ કલાકે સંતોના સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ યોજાશે આ ધાર્મિક કાર્યમાં યજ્ઞના આચાર્ય પદે અનીલપ્રસાદ એલ. રાવલ ધાર્મિકવિધી કરાવશે આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેવું સંસ્થાના પ્રમુખ વસંતભાઈ પરમાર અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ કંઝારીયાએ જણાવ્યું છે






Latest News