મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ


SHARE













મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ

મોરબીના મુસાફરોને અમદાવાદ, સોમનાથ અને ભુજ તરફ આવવા અને જવા માટે ટ્રેનની સુવિધા મળી તે અનિવાર્ય છે જેથી કરીને ભાજપના આગેવાન દ્વારા હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ભાજપ ઓબીસી વિભાગના મંત્રી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પોપટભાઈ શિરોહિયાએ હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત ભુજ મોરબીથી અમદાવાદ સુધીની દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂરી છે અને ભુજથી મોરબી થઈને સોમનાથ મંદિર સુધીને દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂર છે જે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડશે અને ડેમુ ટ્રેન મોરબી, વાકાનેર, રાજકોટ, જૂનાગઢ સુધી દોડાવવામાં આવે તેઓ મુસાફરોને તેનો લાભ મળે તેમ છે જેથી આ ટ્રેનને મુસફારોની સુવિધા માટે વહેલમાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News