મોરબી જીલ્લામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની હત્યા કરનારા યુવતીના બે સગાભાઈઓની ધરપકડ
મોરબીમાં જી.એન.આર.એફ. દ્વારા પ્રકૃતિ બચાવો અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન
SHARE
મોરબીમાં જી.એન.આર.એફ. દ્વારા પ્રકૃતિ બચાવો અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન
જે રીતે સારા આરોગ્ય માટે સ્વસ્થ આહારની જરૂર છે, તેવી રીતે સ્વચ્છ હવા માટે વૃક્ષોની જરૂર છે તેને કોઈ નકારી શકે નહીં. પરંતુ વધતા ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણને કારણે આબોહવાને ખુબ જ અસર થઈ રહી છે ત્યારે પ્રાકૃતિક સંસાધનોનો સહારો નહીં લઈએ તો ભવિષ્યમાં વધારે ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેમ છે જેથી વૃક્ષોની જતન અનિવાર્ય છે. એક અભ્યાસ મુજબ, એક વૃક્ષ તાપમાનને ઓછામાં ઓછું 4 ડિગ્રી સુધી ઘટાડી શકે છે અને વર્ષભરમાં લગભગ 20 કિલો વાયુ પ્રદૂષણને શોષી શકે છે.
દાવત-એ-ઇસ્લામી હિન્દના કલ્યાણ વિભાગ જી.એન.આર.એફ. (ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન)એ તા 1 થી 10 સુધી દેશભરમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાનને સફળ બનાવવા માટે કાઉન્સિલ ઓફ દાવત-એ-ઇસ્લામી હિન્દના નિરીક્ષક સૈયદ આરિફ અલી અત્તારી જામિયા અલ-અશરફિયા મૂબારકપુરના કેમ્પસમાં સ્વયં વૃક્ષારોપણ કરી અને એક વિડીયો સંદેશ દ્વારા દેશવાસીઓને દેશભરમાં વૃક્ષો વાવવાની અપીલ કરી છે. જી.એન.આર.એફ. ના સ્વયંસેવકો કોલેજો, શાળાઓ, ધાર્મિક મદરેસા અને વિવિધ ધાર્મિક સ્થળોએ "પ્રકૃતિ બચાવો" શીર્ષક હેઠળ કાર્યક્રમો યોજી લોકોને વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી રહ્યા છે. દાવત-એ-ઇસ્લામી ઇન્ડિયાનો મિડિયા વિભાગ આપને આ અભિયાનમાં જી.એન.આર.એફ.ને સમર્થન આપવાની અને પ્રકૃતિ બચાવવાની અપીલ કરે છે