મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું


SHARE













મોરબીમાં પત્નીના આપઘાત બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીની આલાપ સોસાયટીની પાસે આવેલ સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક રોમટિરિયલ્સનું કામ કરતાં યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને ફાયરની ટીમે યુવાનની બોડીને પાણીમાંથી બહાર કાઢી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની આલાપ સોસાયટીની બાજુમાં સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલા શ્રીરામ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે હાલમાં રહેતા મૂળ અણિયારી ગામના રહેવાસી શંકરભાઈ અમરશીભાઈ બાવરવાના દીકરા ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા જાતે પટેલ (31)ને મોરબી તાલુકના ચકમપર(જી) ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને યુવાન કેનાલમાં પડ્યો હોવાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની ટીમે ત્યાં જઈને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી હતી. અને કેનાલના સાયફનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવની તપાસ કરી રહેલ હેડ કોન્સટેબલ વી.એસ.ડાંગર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન સિરામિક રોમટિરિયલ્સનું કામ કાજ કરતો હતી અને ગત તા 3/6/24 ના રોજ તેના પત્ની મમતાબેન ચિરાગભાઈ બાવરવા (31)એ તેઓના જ ઘરે ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને ત્યારથી જ યુવાન ગુમસુમ રહેતો હતો. હાલમાં પત્નીના આપઘાતના આઘાતમાં યુવાને પણ કેનાલમાં પાડીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.






Latest News