મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત


SHARE









ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત

હાલમાં ગુજરાતના પોલીસ જવાનોના પગાર સહિતના પ્રશ્નો ઊભા છે ત્યારે પોલીસ જવાનોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટે મોરબી જીલ્લામાં ટંકારા અને માળીયા ગુજરાત કિશાન સંગઠન દ્વારા કલેકટર મારફત સીએમને આવેદન પાઠવીને પોલીસના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરેલ છે

હાલમાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કેગુજરાતમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો ખેડૂત, મજુર અને પસુપાલાકોના દીકરા તેમજ દીકરોઓ છે અને પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી, જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહે છે. તો પણ પોલીસ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે મળતા નથી અને અન્યાય થતો હોય છે જેથી કરીને પોલીસ જવાનોની પડતર માંગણીઓ ઉકેલવી, પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં માંગણી મુજબનો યોગ્ય વધારો કરી આપવોફરજ પરના કલાકો ફિક્સ કરવા, પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવી વિગેરે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા જવાનો અને તેમના પરિવારોના હિતમાં નિર્ણય લેવાઇ તેવી માંગણી કરેલ છે






Latest News