મોરબીના પાવડિયારી પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા શાક લેવા જતાં યુવાનનું મોત
અનોખી ઉજવણી: મોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું
SHARE
અનોખી ઉજવણી: મોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું
રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાએ પોતાના પૌત્ર મંત્ર ના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને 47 મી વખત રક્તદાન કર્યું હતું અત્રે ઉલેખનીય છે કે, તેઓ નિયમિત રક્તદાન કરે છે. તેમને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનોએ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને "રક્તદાન એ જ મહાદાન" એ યુક્તિને સાર્થક કરવી જોઈએ. અને આટલું જ નહીં તેઓએ એકાવન વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.