જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો રોપા મેળવી શકશે


SHARE







મોરબીમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો રોપા મેળવી શકશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા હસ્તકની મોરબીની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫ માં ઘર આંગણે ખેતી કરવા તથા બાગાયતી ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે રાયણરૂ.૧૫/-જાંબુ રૂ.૧૫/-, ફાલસા રૂ.૨૦/-, દેશી બોર રૂ.૧૫/-, કરમદા રૂ.૧૫/-, અંજીર કટકા કલમ રૂ.૩૦/-, સેતુર કટકા કલમ રૂ.૨૦/- વગેરેનું હાલમાં સસ્તા દરે વેચાણ ચાલુ છે.

આ ઉપરાંત બાગાયતી ખેતીને લગત યાંત્રિક તથા યોજનાકીય માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. તેથી આમાં રસ ધરાવતા ખેડુતોએ બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, જડેશ્વર રોડ, વાંકાનેર- મોરબી કચેરીએથી જાહેર રજાના દિવસો સિવાય ફળ પાકના રોપાઓ મળી રહેશે. આ માટે હિતેશ રોજાસરામોબાઈલ નંબર- ૯૮૨૪૨૪૫૬૩૫ પર સંપર્ક સાધી શકાશે તેમ બાગાયત અધિકારીશ્રી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News