મોરબીના આંદરણા નજીક જીવલેણ અકસ્માત સર્જનાર રિક્ષા ચાલકની ધરપકડ
મોરબીમાં પ્રેમ પ્રકરણમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE








મોરબીમાં પ્રેમ પ્રકરણમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં યુવાનને પ્રેમ સંબંધ હતો તેનો ખાર રાખીને યુવતીના બે કાકા સહિતના 11 જેટલા શખ્સો દ્વારા યુવાનને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને તેનું અપહરણ કરીને બેલા ગામ તરફ લઈ ગયા હતા અને ત્યાં બાવળની કાટમાં ધોકા વડે માર માર્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ ગુનામાં પહેલા પોલીસે 11 શખ્સોને પકડ્યા હતા હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ માનેવાડિયા (23)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે ઉગો આદગામા સહિતના શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઇન્દિરાનગરમાં તેનો ભાઈ મૃતક વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા (20) હાજર હતો ત્યારે આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અને હકા અદગામા સહિતના ત્યાં આવ્યા હતા અને આ બંને શખ્સની ભત્રીજી સાથે ફરિયાદીના ભાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો ત્યાર બાદ તેનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો જેથી વિજય ઉર્ફે રવિનું મોત નીપજયું હતું આ ગુનામાં પહેલા પોલીસે 11 આરોપીઓને પકડ્યા હતા અને ત્યાર બાદ હાલમાં આ ગુનામાં પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી અહેમદ આલમશા શૈયાદ (27) રહે. વીસીપરા કુલીનગર શેરી નંબર-2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે

