મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જય વસાવડાની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન


SHARE















મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જય વસાવડાની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન

સમાજના સર્વાંગી વિકાસમાં યુવાનોની ભૂમિકાના મહત્વ ઉપર ચિંતન મનન કરવા માટે મોરબી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રથમવાર વરિયા પ્રજાપતિ યુવા સંમેલનનું આગામી રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા વક્તા જય વસાવડા સહિતના હાજર રહેશે.

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સામાકાંઠે જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે તા.10 નવેમ્બરને રવિવારના રોજ સાંજે 4 કલાકે સમાજના યુવાનોનું યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા વક્તા જય વસાવડા વક્તવ્ય આપવાના છે. તેની સાથોસાથ તે દિવસે યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મિટ્ટી કુલના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિ તેમજ મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમમાં સમાજની ડિજિટલ બિઝનેસ ડિરેકટરી માટે કાર્યક્રમના સ્થળેથી ડેટા કલેક્ટ કરવામાં આવશે.

આ યુવા સંમેલનને લઈને જાણીતા વક્તા જય વસાવડાએ ખાસ ફ્રાન્સથી વિડીયો સંદેશ આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ ફ્રાન્સથી સીધા આ યુવા સંમેલનમાં આવવાના છે. જેમાં તેઓ કરિયર, જ્ઞાન, લાઈફ વિશે વાત કરવાના છે. તેઓએ ઉમેર્યું કે જો હું પુસ્તકોની આંગળી પકડીને, શિક્ષણની તાલીમ લઈને, મા બાપ પાસેથી કેળવણી લઇને અહીં સુધી પહોંચી ગયો તો તમે કેમ ન પહોંચો ? તમે કેમ પહોંચો તેના વિશે જ વાત કરવાની છે. સક્સેસ કેવી રીતે મળે ? કરિયર કેવી રીતે બને ? આવતીકાલના જીવનમાં શિક્ષણનો શુ રોલ હશે ? આ બધી વાતો યુવા સંમેલનમાં કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા અને કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા સહિત ટિમ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે અને વધુમાં વધુ યુવાનોને આ સંમેલનમાં આવવા માટે આગેવાનોએ આહવાન કર્યું છે.






Latest News