દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત


SHARE













મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન નશાની હાલતમાં લેબર કવાટરની છત ઉપર ચડ્યો હતો અને બાદમાં નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોય તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એબ્રોડ સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી નામનો ૨૭ વર્ષનો યુવાન તા.૧૦ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં યુનિટના લેબર કવાટરમાં છત ઉપર ચડ્યો હતો અને નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોવાથી શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયુ હતું.મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડાતા ત્યાં પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી. અને તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા હબીબભાઈ અલ્લારખા ભટ્ટી (ઉમર ૬૦) તથા નવાબ રમજાનભાઈ કાજડીયા (ઉંમર ૧૭) નામની બે વ્યક્તિઓને તા.૯ ના રોજ રાત્રિના નવેક વાગ્યે ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી ૧૦૮ વડે આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે.હોસ્પિટલ ખાતેથી આ બાબતે યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

પરણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર નજીક મફતપરા વિસ્તારમાં રહેતા શીલાબેન ટપુભાઈ મારવાણીયા નામની ૪૦ વર્ષિય મહિલાને તા.૧૦ ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેના દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી શીલાબેનને સિવિલે સારવાર માટે લઈ જવાયા હોય હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News