મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો


SHARE















ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો 

ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો નોંધાયેલ હતો જેમાં બે શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને બંને શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો વર્ષ 1998 માં નોંધાયેલ હતો જે ગુનામા મોરબીમા રહેતા ભાવિન શુકલ તથા અમદાવાદના રહીમખાન જમાલખાન નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ટંકારા પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. આ લુટ તથા ધાડનો કેસ કોર્ટમાં ચાલી જતાં તમામ સાહેદો તથા પુરાવાઓ તપાસવામા આવ્યા હતા અને સરકારી વકીલ તથા આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડા સાહેબે બંને આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કામે આરોપી તરફથી મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા.






Latest News