મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો


SHARE













ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો 

ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો નોંધાયેલ હતો જેમાં બે શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને બંને શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો વર્ષ 1998 માં નોંધાયેલ હતો જે ગુનામા મોરબીમા રહેતા ભાવિન શુકલ તથા અમદાવાદના રહીમખાન જમાલખાન નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ટંકારા પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. આ લુટ તથા ધાડનો કેસ કોર્ટમાં ચાલી જતાં તમામ સાહેદો તથા પુરાવાઓ તપાસવામા આવ્યા હતા અને સરકારી વકીલ તથા આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડા સાહેબે બંને આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કામે આરોપી તરફથી મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા.






Latest News