મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન


SHARE







મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી માં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. હવે તેના ભાગ રૂપે  વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે અને આ ડાયરાની તા. 21/12/24 ને શનિવાર રાખવામા આવેલ છે અને ન્યુએરા સ્કૂલથી આગળના ભાગમાં આવેલ ઉમા બંગલોઝની બાજુમાં રાખવામા આવેલ છે. આ લોકડાયરામાં સહુ જીવદયા પ્રેમી મિત્રોને આવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News