મોરબીમાં ખામીયુક્ત મશીન આપનાર કંપનીને ૬ ટકા વ્યાજ સાથે ૩૩.૧૬ લાખ રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન
SHARE
મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન
મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી માં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. હવે તેના ભાગ રૂપે વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે અને આ ડાયરાની તા. 21/12/24 ને શનિવાર રાખવામા આવેલ છે અને ન્યુએરા સ્કૂલથી આગળના ભાગમાં આવેલ ઉમા બંગલોઝની બાજુમાં રાખવામા આવેલ છે. આ લોકડાયરામાં સહુ જીવદયા પ્રેમી મિત્રોને આવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.









