હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત

મોરબીના રાજપર ચાચાપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનના સાત વર્ષના દીકરાને ઉલ્ટી થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેને સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બાળકનું મોત થયું હતું જે બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબીના રાજપર ચાચાપર રોડ ઉપર આવેલ રબારી કોલોની સામેના ભાગમાં સદગુરુ કોટન પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની લેબર કોલોનીના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલેશ રકસિંહ મંડલોઇ (24) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં આવેલ પોતાના રૂમની બાજુમાં આવેલ ખાલી પડેલા રૂમમાં છતમાં લગાવેલા હુકની સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ કુંવરસિંહ રકસિંહ મંડલોઇ (33) રહે . હાલ રાણાવાવ તાલુકો પોરબંદર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ગુરુકુળ નજીક પ્રભુભાઈ શેઠની વાડીએ રહીને મજૂરી કામ કરતાં રવિભાઈ દૂડવેના સાત વર્ષના દીકરા પિંકી દૂવેને વાડીએ હતો ત્યારે ઉલટી થઈ હતી અને ત્યારબાદ ગળામાં શ્વાસ લેવામાં તેને શ્વાસ રૂંધાતો હતો જેથી 108 મારફતે તે બાળકને તેના પિતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.






Latest News