મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા અમિત શાહના વિરોધમાં કલેકટરને આવેદન


SHARE













મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા અમિત શાહના વિરોધમાં કલેકટરને આવેદન

ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા.17 ના રોજ ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને "આંબેડકર, આંબેડકર,આંબેડકર, આંબેડકર એક ફેશન બની ગઈ છે" જેવા અવમાનીત શબ્દોનો  પ્રયોગ કરવામા આવ્યો હતો. જેથી ભારત ભરમાં ડૉ. બાબા સાહેબના કરોડો અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના વિરોધમાં તા.24 ના રોજ  મોરબીના કલેકટરને મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપીને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું  હતુ. ત્યારે બહુજન સમાજ પાર્ટીના હોદેદારો, બસપા સમર્થકો અને અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News